Activities

શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ઓનલાઈન રથયાત્રાની ઉજવણી

શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ઓનલાઈન રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી 

જેમાં ધોરણ.1થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો એમાં બધાજ વિદ્યાર્થીઓ ખુબજ ભક્તિભાવથી જોડાયા હતા. 

             આ પ્રસંગે શિક્ષકો દ્વારા વર્ગ ગ્રુપ ઉપર વિદ્યાર્થીઓને ભગવાન જગન્નાથની વેશભૂષા ધારણ કરવા, રથયાત્રાને લગતા ચિત્રો દોરવા તથા ભગવાન જગન્નાથ, બહેન શુભદ્રા, તથા ભાઈ બલદેવજીના રથ કલાત્મક રીતે તૈયાર કરી તેના ફોટા મંગાવાયા હતા. 

          વિદ્યાર્થીઓ આપણી સંસ્કૃતિ, પરંપરાથી અવગત થાય અને તેનુ મહાત્મ્ય સમજતા થાય તે ઉદેશ્ય થી આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. 

રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. આમ તો દરરોજ ભક્તોને ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.

આ ઓનલાઈન રથયાત્રાની ઉજવણી બદલ સંસ્થાના સ્થાપક પૂ.દાદા મેં.ટષ્ટ્રી પૂ.કપિલસ્વામી, કૅમ્પસ ડાયરેક્ટરશ્રીઓ તેમજ શાળાના આચાર્યશ્રીઓ  અને સ્ટાફના દરેક શિક્ષકે અભિનંદન પાઠવ્યા હતા.

WordPress Lightbox