શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ દ્વાર 7મા વિશ્વ  યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી 

જેમાં ધોરણ.1 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સંસ્થાના યોગ શિક્ષક શિલ્પા પાન્ડેએ બાળકોને ગુગલ મીટ ઉપર ઓનલાઇન વિવિધ યોગાસન બતાવી, યોગના ફાયદા વિશે સમજણ પણ આપી હતી તેમણે જણાવ્યુ કે નિયમિત યોગાભ્યાસ કરવાથી શારીરિક અને માનસિક લાભ થાય છે.

ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી અને તે પછી 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું હતુ ત્યારબાદ, આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.

આ વિશ્વ યોગ દિવસ ઉજવણી બદલ સંસ્થાના સ્થાપક પૂ.દાદા મેં.ટષ્ટ્રી પૂ.કપિલસ્વામી તેમજ શાળાના આચાર્ય શ્રીઓ  તેમજ સ્ટાફના દરેક શિક્ષકે અભિનંદન પાઠવ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *