શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર,સલવાવ દ્વારા આયોજિત પર્યાવરણદિવસ નિમિત્તે ઓનલાઇન કાર્યક્રમનું આયોજનકરવામાં આવ્યું હતુંજેમાં ધોરણ 1થી 8 નાબાળકોએ ઓનલાઈન વૃક્ષારોપણ કર્યું હતું
જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે -લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન “વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઉજવાય છે
આપ્રવૃત્તિ દ્વારા પર્યાવરણનું જતનઅમારી અપીલ છે.બાળકોએ ઘરેજ રહીને વૃક્ષારોપણ કરતા ફોટો પાડી મોકલ્યા હતા કોરોનાની મહામારી વચ્ચે જ્યારે વાતાવરણમાં ઓકિસજનની માત્રા ઓછી થઈ રહી છે તો આપણી થોડી મહેનત દ્વારા વિશ્વને સ્વસ્થ બનાવવાના પ્રયત્ન કરીએ.
વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં – વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો આજેય તેના શિલાલેખોમાં જોવા મળે છે
આ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી બદલ સંસ્થાના સ્થાપક પૂ.દાદા મેં.ટષ્ટ્રી પૂ.કપિલસ્વામી તેમજ શાળાના આચાર્ય શ્રી ચંદ્રવદન સર તેમજ સ્ટાફના દરેક શિક્ષકે અભિનંદન પાઠવ્યા હતા.